જયપુર: રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભા અધ્યક્ષ ડો. સીપી જોશીના નિવેદનથી કોંગ્રેસમાં જ ખળભળાટ મચી ગયો છે. નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવાના નિવેદન પર હવે ભાજપના નેતાઓ પણ સીપી જોશીને અભિનંદન પાઠવી રહ્યાં છે. રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીષ પુનિયાએ સશિ થરુર અને કપિલ સિબ્બલ જેવા કોંગ્રેસના નેતાઓના નિવેદનનો હવાલો આપ્યો જેમણે કાયદાની મજબુરીના પગલે સીએએ લાગુ કરવાની વાત કરી હતી. 


VIDEO અયોધ્યામાં જાજરમાન અને ભવ્યાતિભવ્ય બનશે 'શ્રીરામનું ભવ્ય ધામ', હશે આ હાઈટેક સુવિધાઓ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં સી પી જોશીએ શુક્રવારે ઉદયપુરમાં થયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલા નાગરિકતા સંશોધન કાયદા એટલે કે CAAને દરેક રાજ્યએ લાગુ કરવો જ પડશે. સીપી જોશીએ વધુમાં કહ્યું હતું કે નાગરિકતા કાયદો રાજ્યનો નહીં પરંતુ કેન્દ્રનો વિષય છે. આવામાં કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલા કાયદાને રાજ્યોએ લાગુ કરવો જ પડશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...